મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય: PM આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા ઘર બનશે, ગત સરકારમાં આ યોજના હેઠળ બન્યા હતા 4.21 કરોડ ઘર
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan10062024_131657_Cabinet Meeting 22 (1).webp)
- 10 Jun, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લીધા બાદ આજે કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા ઘર બનાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાં 25 ભાજપના છે. જ્યારે 5 મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા છે.
કેબિનેટની મળેલી પ્રથમ બેઠકમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજનાને એક્સટેન્ડ કરવામાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ યોજના અંતર્ગત નવા ત્રણ કરોડ ઘર બનાવવામાં આવશે. આ પહેલા આ યોજના અંતર્ગત ગામડાઓ અને શહેરોમાં કુલ 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. આજે કેબિનેટની પ્રથમ બેઠક થઈ હતી. તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટમાં સ્થાન મળ્યાં પછી અજિત પવાર ગ્રુપની એનસીપીની નારાજગી પછી હવે એકનાથ શિંદે ગ્રુપની શિવસેનાની પણ નારાજગી સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણેનું કહેવું છે કે એક તરફ જ્યાં ચિરાગ પાસવાન, જીતન રામ માંજી અને એચડી કુમાર સ્વામીની પાર્ટીને ઓછી સીટ મળ્યા પછી પણ કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ તેમની પાર્ટીના સાત સાંસદ હોવા છતાં માત્ર સ્વતંત્ર પ્રભારની સાથે રાજ્ય મંત્રીનું જ પદ આપવામાં આવ્યું છે.
શ્રીરંગ બર્નેએ કહ્યું કે અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. પછી લોકસભાની 7 બેઠકો મળ્યા પછી, આમ છતાં શા માટે? શું શિવસેનાને માત્ર એક જ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મળ્યો?
શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું. આમ કહીને શિંદે જૂથના સાંસદ શ્રીરંગ બર્નેએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શ્રીરંગ બર્નેએ કહ્યું કે એનડીએના અન્ય ઘટક પક્ષોમાંથી એક-એક સાંસદ ચૂંટાયા હતા, પરંતુ તેમને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવ્યું છે, તો પછી ભાજપે શિંદે જૂથ પ્રત્યે આવું અલગ વલણ કેમ અપનાવ્યું? શિવસેના સાંસદે કહ્યું કે જો આવું થાય તો પરિવારની વિરુદ્ધમાં આવેલા અને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને મંત્રી પદ આપવું જોઈતું હતું. તેમજ ભાજપે આ મંત્રી પદ સતારાના સાંસદ ઉદયનરાજે ભોસલેને આપવું જોઈતું હતું.